Add to your favorites

શ્રધ્ધાનો હોય સવાલ તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાય ખુદાની સહી નથી!!!


આ શરે ચાલીસેક વર્ષ પહેલાંની ઘટના છે. ગર્ભપાતને માન્યતા આપતો સરકારી કાયદો હજુ ઘડાયો ન હતો. (એ કાયદો છેક ૧૯૭૧માં અમલમાં આવ્યો.)

ડૉ. પલ્લવી શેલત અમદાવાદના બાહોશ સ્ત્રીરોગ વિશેષજ્ઞ. એમનાં ખાનગી ક્લિનિકમાં બેઠાં હતાં, ત્યાં સન્મુખરાય નાયક એમને મળવા માટે આવ્યા. જૂના સંબંધો. મૂળ તો દર્દી. આખું કુટુંબ ડૉક્ટરનું ઘરાક. સન્મુખરાયના બહોળા પરિવારમાં તમામ સ્ત્રીઓની પ્રસૂતિઓ ડૉ. પલ્લવીબહેનનાં હાથે જ થાય. ડૉક્ટર અને દર્દી વચ્ચેનો નાતો બહુ વિશિષ્ઠ હોય છે, બેપાંચ વર્ષની વફાદારી પછી એ સંબંધ પારિવારિક બની જતો હોય છે.

આવો, સન્મુખભાઈ! બેસો.ડૉ. પલ્લવીબહેન ખૂબ બધા પેશન્ટ્સ તપાસીને માંડ પરવાર્યાં હતા. સન્મુખરાય યોગ્ય સમયે આવ્યા હતા. ડૉક્ટરને પણ કૉફી પીવાની તલબ ઉપડી હતી. એટલે એમણે સિસ્ટરને સૂચના આપી જ દીધી, ‘જશીબહેન, બે કપ કૉફી બનાવો!પછી મહેમાન તરફ જોઈને પૂછી લીધું, ‘ચાલશે ને કૉફી? કે પછી તમારા માટે ચા...?’
મારે તો ચા પણ નથી પીવી ને કોફી પણ...! હું તો તમારી સલાહ લેવા આવ્યો છું!સન્મુખરાયના ચહેરા ઉપર ઘેરી ચિંતાના શ્યામલ વાદળો ઘેરાયેલા જોઈ શકાતા હતા.

ડૉ. પલ્લવીબહેને સિસ્ટરને કૉફી માટેનો ઇશારો કરી દીધો. પછી ગંભીરતાપૂર્વક પૂછ્યું, ‘આજે કેમ આટલા બધા દુઃખી જણાવ છો? માધવીબહેનની તબિયત તો સારી છે ને?’
માધવીને હવે આ ઉંમરે શું પથરા પડવાના હતા? પણ...એ નીચું જોઈ ગયા, ‘આપણી અવંતિકાએ કુટુંબનું નાક વાઢી નાખ્યું!

લોકપ્રિય લેખો